ધનતેરસ અને દિવાળી પર ભૂલથી પણ ઘરની આ જગ્યાઓને ન રાખો ગંદી નહીં તો લક્ષ્મી ક્યારેય નહીં ટકે.રહેશે પૈસાની તંગી

જ્યોતિષ ધાર્મિક

પાંચ દિવસના આ તહેવારમાં ધનતેરસમાં ખાસ કરીને લક્ષ્મી માતા,ગણપતિ દાદા અને ધન્વંતરિ દેવની પૂજા અર્ચના કરવાની હોય છે.જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે.અને જ્યાં ગંદકી જોવા મળે છે ત્યાં નથી રોકાતા લક્ષ્મીજી.ખાસ કરીને ઘરની આટલી જગ્યાઓને તો કરજો અચૂક સાફ

ઇશાન ખૂણા ની સફાઈ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઇશાન ખૂણાનું ખૂબ જ મહત્વ છે કારણકે ઇશાન ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે.એટલા માટે જ ઘરમાં ઇશાન ખૂણામાં આપણે મંદિર બનાવીએ છીએ.જો તમારા ઘરનો ઇશાન ખૂણો ગંદો છે તો નહીં રોકાય લક્ષ્મીજી.આજે જ ઇશાન ખૂણામાં રહેલી વસ્તુઓને લઈને ખૂણાને સાફ કરશો અને તેમાં પણ ધનતેરસના દિવસે આ ખૂણાની સફાઈ અચૂક કરવી જોઈએ

આ દિશાઓનું રાખો ધ્યાન

ધનતેરસ અને દિવાળીના દિવસે પૂર્વ દિશાના સ્થાનોની સફાઈ કરો.તેનાથી ઘરમાં પોઝિટિવ ઉર્જા ઉત્પન થાય છે.સાથે જ ઉત્તર દિશામાં પણ સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઉત્તર દિશામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *